38°C
October 17, 2024
india

સુપ્રીમ કોર્ટે ફગાવી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી

  • August 14, 2024
  • 1 min read
સુપ્રીમ કોર્ટે ફગાવી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી

સમરીઃ
આજે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. હવે નિયમિત જામીન પર સુનાવણી 23 ઓગસ્ટે કરાશે

સ્ટોરીઃ

દિલ્હીના અતિ ચર્ચિત લીકર પોલીસી સ્કેમ અંતર્ગત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સીબીઆઈ કેસમાં દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે હાલમાં આ કેસમાં તેમના વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે સુનાવણી હાથ ધરી હતી, હવે કેજરીવાલના નિયમિત જામીન પર 23 ઓગસ્ટે સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે જામીન અને ધરપકડને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.

About Author

Nikhil jain

Nikhil Jain is the founder of Just Now News, a news channel and website dedicated to timely and accurate reporting. Just Now News, with its website justnownews.in, aims to provide up-to-date information across various topics to its audience.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *