Justnownews

સુપ્રીમ કોર્ટે ફગાવી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી

સમરીઃ
આજે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. હવે નિયમિત જામીન પર સુનાવણી 23 ઓગસ્ટે કરાશે

સ્ટોરીઃ

દિલ્હીના અતિ ચર્ચિત લીકર પોલીસી સ્કેમ અંતર્ગત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સીબીઆઈ કેસમાં દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે હાલમાં આ કેસમાં તેમના વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે સુનાવણી હાથ ધરી હતી, હવે કેજરીવાલના નિયમિત જામીન પર 23 ઓગસ્ટે સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે જામીન અને ધરપકડને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.

Exit mobile version