મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
ભારતીય સિનેમાના પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત આ વર્ષે 16 ઓગસ્ટ 2024ના રોજ કરવામાં આવી હતી.
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આજે 8 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં, રાષ્ટ્રપતિ દ્રૌપતિ મુર્મુએ પીઢ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે સિનેમા માટેના પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મો અને કલાકારોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ લગભગ પાંચ દાયકાથી સિનેમા પર રાજ કરી રહેલા મિથુનને દાદાસાહેબ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
મિથુન સ્વયં આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારવા સમારોહમાં આવ્યા હતા. દાદાસાહેબ એવોર્ડ મળ્યા બાદ મિથુને રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો હતો. બોલિવૂડના પ્રથમ ‘ડિસ્કો ડાન્સર‘ મિથુન ચક્રવર્તી 48 વર્ષથી ભારતીય સિનેમામાં સક્રિય છે. લગભગ પાંચ દાયકા સુધી ફેલાયેલી તેની ફિલ્મી કરિયરમાં મિથુને ઘણી હિટ અને ફ્લોપ ફિલ્મો આપી છે.
મિથુને પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં 270 ફિલ્મો કરી છે, જેમાં 180 ફ્લોપ ફિલ્મોનો સમાવેશ થાય છે. તે જ સમયે, મિથુનની સતત 33 ફિલ્મો ફ્લોપ થઈ હતી. મિથુન દાનું નામ ‘લિમ્કા બુક ઓફ રેકોર્ડ‘માં પણ નોંધાયેલું છે.
Read Also Vidya Balan’s Worry: “Nothing Has Changed in 10 Years”