WhatsApp Account Ban:
વોટ્સએપએ ભારતમાં અનેક અકાઉન્ટ્સ પર બેન લગાવ્યો છે. IANSની રિપોર્ટ મુજબ, 1 એપ્રિલ 2025ના રોજ વોટ્સએપએ જાણકારી આપી હતી કે ફેબ્રુઆરી 2025માં ભારતના 9.7 મિલિયન અકાઉન્ટ્સને બેન કરવામાં આવ્યા છે. કંપનીએ આ પગલાનું કારણ આપતા જણાવ્યું કે, વોટ્સએપ નિયમોનું ઉલ્લંઘન કરનારા અકાઉન્ટ્સને બંધ કરવામાં આવ્યા છે.
વોટ્સએપ અકાઉન્ટ્સ શા માટે બેન થયા?
વોટ્સએપની સેફ્ટી રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરી 2025માં 1.4 મિલિયનથી વધારે એવા અકાઉન્ટ્સને બેન કરવામાં આવ્યા છે, જેમને લઈને કોઈ યુઝરે ફરિયાદ પણ કરી નહોતી. વોટ્સએપના ભારતમાં 500 મિલિયનથી વધુ યૂઝર્સ છે.
કંપનીએ જણાવ્યું કે AI-ડ્રિવન મોડરેશન અને એડવાન્સ રિપોર્ટિંગ ટૂલ્સની મદદથી આ કાર્યવાહી કરી શકાઈ.
વોટ્સએપનો મોટો પગલું
વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે, “અમે ઘણા વર્ષોથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સતત કામ કરી રહ્યા છીએ. અમારી ટીમ ડેટા સાયન્ટિસ્ટ અને એક્સપર્ટ્સ સાથે યૂઝર્સની સલામતી માટે પ્રયત્નશીલ છે.”
વોટ્સએપએ એ પણ જણાવ્યું કે IT રૂલ્સ 2021 મુજબ, મોટાભાગના અકાઉન્ટ્સ સામે યૂઝર્સની ફરિયાદ પર એક્શન લેવાયો.
વોટ્સએપ પાસે એક ઓટોમેટેડ ડિટેક્શન સિસ્ટમ છે, જે શંકાસ્પદ પ્રવૃત્તિઓને ઓળખી શકે છે.
કઈ સમસ્યાઓના કારણે અકાઉન્ટ્સ પર બેન લગાવ્યો?
વોટ્સએપને મળી આવેલા ઘણા કેસોમાં સ્પેમિંગ અને થર્ડ પાર્ટી એપ્લિકેશન્સનો ઉપયોગ સામેલ હતો.
લોકોએ ફરિયાદ કરી કે તેમને અનિચ્છિત ગ્રુપ્સમાં જોડી દેવામાં આવતું હતું.
વોટ્સએપે આ તમામ ફરિયાદોની તપાસ કરી અને નિયમોનું ઉલ્લંઘન કરનારા અકાઉન્ટ્સને બેન કરી દીધા.
વોટ્સએપ દ્વારા લેવામાં આવેલ આ પગલું યૂઝર્સની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે. જો તમારું અકાઉન્ટ પણ બેન થયું હોય, તો વોટ્સએપની હેલ્પલાઈન અથવા સપોર્ટ સેન્ટરનો સંપર્ક કરો.