Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the td-cloud-library domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/sembilannaga/justnownews.in/wp-includes/functions.php on line 6121
રાજ્યના પૂર પીડિતોને રૂપિયા 8.04 કરોડની કેશડોલ્સ (રોકડ સહાય) ચૂકવાઈ - Justnownews કેશડોલ્સ, પૂર
Monday, April 21, 2025

Creating liberating content in Just Now News

ખારગપુરનો King Riaz: ફ્રી...

નાના શહેરોમાંથી મોટું સપનુ જોવું હવે અશક્ય નથી. આ સાબિત કરી બતાવ્યું છે...

આંતરરાષ્ટ્રીય બજારમાં હલચાલ વચ્ચે...

વિદેશી રોકાણકારોના ભારતીય શેરબજારમાં પૈસા લગાડવાથી અને અમેરિકન ડોલરના ભાવમાં નરમાઈ આવતા ભારતીય...

ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 6...

અમેરીકાના ટેક્સાસમાંથી બ્લૂ ઓરિજિન કંપનીના રૉકેટ દ્વારા એક ખાસ યાત્રા થઇ. પહેલી વાર...

અયોધ્યામાં ભક્તો વચ્ચે મંદિરની...

અયોધ્યાના રામ મંદિરને લઈને હાલમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે મંદિર પરિસરની...
Homestateરાજ્યના પૂર પીડિતોને...

રાજ્યના પૂર પીડિતોને રૂપિયા 8.04 કરોડની કેશડોલ્સ (રોકડ સહાય) ચૂકવાઈ

સમરીઃ

ભારે વરસાદથી અતિ પ્રભાવિત જિલ્લાઓમાં જનજીવન ઝડપભેર પૂર્વવત થાય અને અસરગ્રસ્ત જરૂરતમંદ પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી પણ ત્વરાએ થાય તે અંગે જિલ્લા કલેકટરોને ભુપેન્દ્ર પટેલે આદેશ કર્યા છે.

image 36

સ્ટોરીઃ

ગુજરાતના ૧૪ જિલ્લાના ૧.૬૯ લાખથી વધુ નાગરીકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી રૂ. ૮.૦૪ કરોડની કેશડોલ્સ ચૂકવાઈ છે. જ્યારે ૨૨ મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી કુલ રૂ. ૮૮ લાખની સહાય ચૂકવાઈ છે. ઘરવખરી અને કપડા સહાય માટે અત્યાર સુધીમાં ૫૦,૧૧૧ પરિવારોને રૂ. ૨૦.૦૭ કરોડથી વધુ રકમ ચૂકવાઈ છે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, નવસારી અને પોરબંદર, મોરબી તથા વલસાડ જિલ્લાઓમાં કુલ ૧૧૨૦ ટીમ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં તા. ૩ સપ્ટેમ્બર સુધીમાં ૧,૬૯,૫૬૧ વ્યક્તિઓને કુલ રૂ. ૮.૦૪ કરોડ રકમ કેશડોલ્સ પેટે ચૂકવવામાં આવી છે. માનવ મૃત્યુના કિસ્સામાં ૨૨ મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી કુલ રૂ. ૮૮ લાખની સહાય ચૂકવવામાં આવી છે. સાથે જ પશુ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ પામેલા ૨,૬૧૮ પશુઓના માલિકોને કુલ રૂ. ૧.૭૮ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

Get notified whenever we post something new!

Continue reading

આંતરરાષ્ટ્રીય બજારમાં હલચાલ વચ્ચે ભારતીય રૂપિયા મજબૂત, ચોથા દિવસે પણ વધારોઃ

વિદેશી રોકાણકારોના ભારતીય શેરબજારમાં પૈસા લગાડવાથી અને અમેરિકન ડોલરના ભાવમાં નરમાઈ આવતા ભારતીય રૂપિયા ચોથા દિવસ પણ મજબૂત રહ્યો છે. ગુરુવારના રોજ રૂપિયો 10 પૈસાનો લાભ મેળવીને 85.54 રૂપિયાને ડોલર સામે પહોંચ્યો. ભલે શેરબજારમાં ભારે તેજી નહોતી અને ક્રૂડ ઓઈલના...

ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 6 મહિલાઓએ કરી અંતરિક્ષ યાત્રા, જેફ બેઝોસની મંગેતર પણ રહી સાથે

અમેરીકાના ટેક્સાસમાંથી બ્લૂ ઓરિજિન કંપનીના રૉકેટ દ્વારા એક ખાસ યાત્રા થઇ. પહેલી વાર એવું બન્યું છે કે એકસાથે છ મહિલાઓ અંતરિક્ષની સફર પર ગઈ. રૉકેટ થોડી જ મિનિટો માટે અંતરિક્ષની સીમાએ ગયો અને બાદમાં તમામ મહિલાઓ સુરક્ષિત زمین પર...

અયોધ્યામાં ભક્તો વચ્ચે મંદિરની મીટી વહેંચાય છે એવી વાત અફવા, સમિતિએ આપ્યો સ્પષ્ટ જવાબ

અયોધ્યાના રામ મંદિરને લઈને હાલમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે મંદિર પરિસરની મીટી ભક્તો વચ્ચે વહેંચવામાં આવશે.આ અંગે હવે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, અહિંની પવિત્ર મીટી મંદિર પરિસરમાં જ ઉપયોગમાં...