38°C
October 17, 2024
india

સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન મંજૂર કર્યા પરંતુ સીબીઆઈને પોતાની છાપ બદલવા ટકોર કરી

  • September 13, 2024
  • 1 min read
સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન મંજૂર કર્યા પરંતુ સીબીઆઈને પોતાની છાપ બદલવા ટકોર કરી

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર સ્કેમ કેસમાં જામીન આપ્યા છે. જો કે સુપ્રીમ કોર્ટે આ જામીન આપતી વખતે સીબીઆઈને પોતાની પીંજરામાં પુરાયેલ પોપટ જેવી છાપને સુધારવા ટકોર કરી છે.

આજે દિલ્હી સીએમ અને આમ આદમી પાર્ટી માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી લીકર સ્કેમમાં કેજરીવાલને જામીન આપ્યા છે. જો કે આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સીબીઆઈ જેવી તપાસ એજન્સીનો પોતાની પીંજરામાં પુરાયેલ પોપટ જેવી છાપ સુધારવા ટકોર કરી છે. લગભગ 12 વર્ષ પહેલા કોલસા કૌભાંડની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને પાંજરામાં બંધ પોપટ ગણાવી હતી.

અરવિંદ કેજરીવાલને 177 દિવસ બાદ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. કેજરીવાલની પહેલા ED અને બાદમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયા અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. જામીન આપતા જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે સીબીઆઈની ધરપકડમાં કોઈ પ્રક્રિયાગત ખામી નથી પરંતુ જસ્ટિસ ભુઈયાએ તેનાથી વિપરીત ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે સીબીઆઈની ધરપકડનો સમય સવાલો ઉભા કરે છે.  ટ્રાયલ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા બાદ જ સીબીઆઈ અચાનક કેમ સક્રિય થઈ ગઈ?  જો તેની તપાસ કરવી હોત તો EDએ તેની ધરપકડ કરી ત્યારે સીબીઆઈ તપાસ કરી શકી હોત.

જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે સીબીઆઈએ પાંજરામાં બંધ પોપટની છબીમાંથી બહાર આવવું પડશે અને એ પણ બતાવવું પડશે કે તે પાંજરામાં બંધ પોપટ નથી. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે લગભગ 12 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે CBI પર આવી જ ટિપ્પણી કરી હતી, જ્યારે તેને લઈને ઘણો વિવાદ થયો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને પાંજરામાં બંધ પોપટ ગણાવી હતી.

9 મે 2013ના રોજ કોલસા કૌભાંડની સુનાવણી કરતી વખતે જસ્ટિસ આરએમ લોઢા, જસ્ટિસ મદન બી. લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે સીબીઆઈને પાંજરામાં બંધ પોપટ ગણાવી હતી. તે સમયે યુપીએ સરકાર હતી અને કોલસા મંત્રાલયની જવાબદારી અશ્વિની કુમાર પાસે હતી. સીબીઆઈના ડાયરેક્ટર રણજીત સિંહા હતા.

આ કેસ 2012માં આવ્યો હતો. તે સમયે મનમોહન સિંહની સરકાર હતી. કોલસાની ખાણ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. કોલસાના ખનન અને વેચાણમાં ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આમાં કોલ ઈન્ડિયા લિ. ઘણા અધિકારીઓના નામ પણ સામે આવ્યા હતા.

About Author

Hardik

Hardik Prajapati is an esteemed author at Justnownews, known for his insightful and engaging writing on current events and emerging trends. With a keen eye for detail and a passion for uncovering the nuances behind the headlines, Hardik brings a fresh perspective to his articles, making complex topics accessible and interesting to readers. His work often reflects a commitment to in-depth analysis and thoughtful commentary, ensuring that his audience stays well-informed and engaged with the latest news developments.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *