38°C
October 18, 2024
World

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી રેલીમાં ગોળીબાર, રાજકીય તંગદીલી સર્જાઈ

  • September 9, 2024
  • 1 min read
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી રેલીમાં ગોળીબાર, રાજકીય તંગદીલી સર્જાઈ

સમરીઃ

પાકિસ્તાનની તહેરિક-એ-ઈન્સાફના સુપ્રીમો ઈમરાન ખાન ૧ વર્ષ કરતા વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. ઈમરાનના સમર્થકો અને પાર્ટી કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રેલીનું આયોજન કર્યુ હતું. આ રેલીમાં ગોળીબાર થયો અને પોલીસે ટીયર ગેસ છોડતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાથી પાકિસ્તાનમાં રાજકીય તંગદીલી સર્જાઈ ગઈ છે.

સ્ટોરીઃ

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઈન્સાફની રેલી યોજાઈ હતી. આ રેલીમાં ગોળીબાર થતા ભારે નાસભાગ મચી હતી. પોલીસે ઈમરાન ખાનના સમર્થકોને હટાવવા ટીયર ગૅસના શેલ છોડયા હતા. છેલ્લા ૧ વર્ષથી વધુ સમય કરતા ઈમરાન ખાન જેલમાં છે.

આ ઘટના બાદ ઈમરાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, હું આખું જીવન જેલમાં વિતાવવા તૈયાર છું પરંતુ આઝાદી માટે કોઈ સમજુતિ નહીં કરૂં. ઈમરાન ખાનને પાંચ ઓગસ્ટ-2023થી તોશાખાના કેસમાં દોષિત ઠેરવ્યા પછી ધરપકડ કરવામાં આવી હતી.

અરાજકતાને લીધે હિંસા ફેલાય તે ડરે ઈસ્લામાબાદના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીના ફવાદ ચૌધરીએ પણ ફાયરિંગમાં ઘણા સમર્થકોના મોતનો દાવો કર્યો છે. તેણે કહ્યું કે, પાકિસ્તાનમાં માર્શલ લો જેવી સ્થિતિ સર્જાઈ છે.

About Author

Nikhil jain

Nikhil Jain is the founder of Just Now News, a news channel and website dedicated to timely and accurate reporting. Just Now News, with its website justnownews.in, aims to provide up-to-date information across various topics to its audience.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *