Justnownews

સિંઘમ અગેઈન અને ભુલભુલૈયા-૩ દિવાળીએ ટકરાશે, દર્શકોને મોજ પડી જવાની

અજય દેવગનની ફિલ્મ દિવાળી 2024ના અવસર પર રિલીઝ થશે અને તે બોક્સ ઓફિસ પર કાર્તિક આર્યનની ફિલ્મ ભુલભુલૈયા 3 સાથે ટક્કર કરવા જઈ રહી છે. આ બંને સફળ ફ્રેન્ચાઈઝીની ફિલ્મો છે તેથી દર્શકોને દિવાળી વેકેશનમાં એન્ટરટેઈનમેન્ટનો પૂરતો ડોઝ મળી રહેશે.

અજય દેવગન અને કરીના કપૂર ખાન સ્ટારર કોપ એક્શન ફિલ્મ સિંઘમ અગેઈનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. સિંઘમ અગેઈન ફિલ્મની રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અજય દેવગનની સિંઘમ અગેઈન દિવાળીના અવસર પર રિલીઝ થશે.

એવી અટકળો હતી કે કાર્તિક આર્યને રોહિત શેટ્ટીને ફિલ્મની રિલીઝ ડેટ બદલવાની વિનંતી કરી છે જેથી તેની ફિલ્મ ભુલભુલૈયા 3 સાથે કોઈ સંઘર્ષ ન થાય. હવે દિગ્ગજ ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે તેમની તાજેતરની પોસ્ટમાં આ તમામ અટકળોને નકારી કાઢી છે.

તરણ આદર્શે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ફિલ્મ સિંઘમ અગેન દિવાળી પર જ રિલીઝ થશે, સિંઘમ અગેઈનને મુલતવી રાખવામાં આવી નથી, ન તો તેને કોઈ નવી તારીખ પર શિફ્ટ કરવામાં આવી રહી છે. હવે સિંઘમ અગેન અને ભૂલ ભુલૈયા દિવાળી પર બોક્સ ઓફિસ પર ટકરાશે.

Exit mobile version