Justnownews

રાજકારણના મહારથી સીતારામ યેચુરી જિંન્દગીનો જંગ હારી ગયા, 72 વર્ષની વયે નિધન

સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીનું લાંબી માંદગી બાદ ગુરુવારે 72 વર્ષની વયે અવસાન થયું હતું. ફેફસામાં ઈન્ફેક્શનના કારણે તેમની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી.

CPI(M)ના મહાસચિવ અને ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ સીતારામ યેચુરીનું ગુરુવારે 72 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી હતી. યેચુરીએ 2015માં પ્રકાશ કરાતની જગ્યાએ સીપીએમના જનરલ સેક્રેટરીનું પદ સંભાળ્યું હતું.

19 ઓગસ્ટના રોજ તેમને ન્યુમોનિયા અને ફેફસાના ચેપની ફરિયાદ સાથે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. મુરલીધરન દ્વારા બે દિવસ પહેલા પાર્ટીની સેન્ટ્રલ કમિટી ઓફિસમાંથી જારી કરવામાં આવેલા નિવેદનમાં તેમની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ફેફસામાં ઈન્ફેક્શનના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ડોકટરોની ટીમ સતત તેમની સ્થિતિ પર નજર રાખી રહી હતી. તબીબોએ જણાવ્યું હતું કે ન્યુમોનિયાના કારણે ચેપ વધવાને કારણે તેની હાલત નાજુક બની ગઈ હતી. શરૂઆતમાં તેમને એઈમ્સના ઈમરજન્સી વિભાગના રેડ ઝોનમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર દિલ્હી એમ્સમાં સતત ચાલી રહી હતી.

Exit mobile version