Justnownews

કામના ભારણને લીધે માત્ર ૨૬ વર્ષીય સીએ મૃત્યુ પામી, શશિ થરૂરે મૃતકના પિતાને આપી હૈયાધારણ

કેરળની 26 વર્ષીય અન્ના સેબેસ્ટિયન પેરીલનું જુલાઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેણી પુણે સ્થિત ‘અર્ન્સ્ટ એન્ડ યંગ’માં કામ કરતી હતી. તેની માતાએ કંપની પર કામના કલાકો વધારવાનો આરોપ લગાવ્યો છે. શશિ થરૂરે આ મુદ્દો સંસદમાં ઉઠાવવાનું આશ્વાસન આપ્યું છે.

કેરળના 26 વર્ષીય અન્ના સેબેસ્ટિયન પેરીલનું જુલાઈમાં કથિત રીતે વધુ કામના દબાણને કારણે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. અન્ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) હતી અને છેલ્લા ૪ મહિનાથી પુણેની અર્ન્સ્ટ એન્ડ યંગ‘ (EY)ની ઓફિસમાં કામ કરતી હતી. કોંગ્રેસ નેતા શશિ થરૂરે અઠવાડિયામાં 40 કલાક કામ કરવાનું સૂચન કર્યું છે અને મૃતકના પિતાને હૈયાધારણ આપી છે.

અન્નાની માતા અનિતા ઓગસ્ટિને EY ઈન્ડિયાના ચેરમેન રાજીવ મેમાણીને એક પત્ર લખ્યો છે, જેમાં કંપનીમાં કામના વધુ કલાકો પર સવાલો ઉઠાવ્યા છે. થરૂરે અણ્ણાના પિતા સિબી જોસેફ સાથે પણ વાત કરી અને આ મુદ્દો સંસદમાં ઉઠાવવાનું આશ્વાસન આપ્યું. EYએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તે પરિવારના સંપર્કમાં છે.

કેરળના તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે તેમના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે એન્નાનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. એક મોટી ઓડિટ ફર્મમાં ૪ મહિના સતત ૭ દિવસ કામ કર્યા બાદ તેમને આ હાર્ટ એટેક આવ્યો હતો. અણ્ણાના પિતા સાથે તેમણે અત્યંત ભાવનાત્મક વાતચીત કરી હતી.

Exit mobile version