Justnownews

નસીરૂદ્દીન શાહે શોલે વિરૂદ્ધ કર્યા નિવેદન, ચાર્લી ચેપ્લિન અને ક્લિન્ટ ઈસ્ટવૂડની ફિલ્મોની કોપી ગણાવી

નસીરૂદ્દીન શાહે જણાવ્યું કે,  તેણે જાવેદ અખ્તર સાથે ‘શોલે’ની મૌલિકતા અંગે ચર્ચા કરી હતી. શાહે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે – તમે તમારી ફિલ્મ ‘શોલે’ના દરેક દ્રશ્યની નકલ કરી છે, તમે ચાર્લી ચેપ્લિનની એક પણ ફિલ્મ છોડી નથી અને દરેક ફ્રેમમાં ક્લિન્ટ ઈસ્ટવૂડની હાજરી દેખાય છે.

પ્રસિદ્ધ બોલિવૂડ અભિનેતા નસીરૂદ્દીન શાહે જણાવ્યું હતું કે તેમણે એકવાર જાવેદ અખ્તર સાથે તેમની ફિલ્મ ‘શોલે’ને લઈને ફિલ્મોમાં મૌલિકતાના મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે સ્ક્રિપ્ટ રાઈટરને કહ્યું કે તેની 1975ની ફિલ્મ ‘શોલે’ ચાર્લી ચેપ્લિન અને હોલીવુડના ફિલ્મ નિર્માતા ક્લિન્ટ ઈસ્ટવૂડની ફિલ્મોની નકલ હતી.

જાવેદ અખ્તરે સલીમ ખાન સાથે મળીને ‘શોલે’ની વાર્તા લખી હતી. આ ફિલ્મને શ્રેષ્ઠ અને પ્રભાવશાળી ભારતીય ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. નસીરૂદ્દીન શાહે ‘IFP સિઝન 14’માં કહ્યું કે, ‘મને યાદ છે કે જાવેદ અખ્તરે મને એકવાર કહ્યું હતું – જ્યારે તમે કોઈ સર્જનનો સોર્સ શોધી શકતા નથી ત્યારે જ તેને ઓરિજિનલ કહી શકાય.’

નસીરૂદ્દીન શાહે કહ્યું કે,  તમે શોલેના દરેક સીન કોપી કર્યા છે, તમે ચાર્લી ચેપ્લિનની એક પણ ફિલ્મ છોડી નથી, આ સિવાય દરેક ફ્રેમમાં ક્લિન્ટ ઈસ્ટવુડની હાજરી અનુભવાઈ રહી છે. શાહે કહ્યું, ‘પરંતુ તેમણે કહ્યું કે પ્રશ્ન એ નથી કે તમે સંદર્ભ ક્યાંથી લીધો છે, પ્રશ્ન એ છે કે તમે તેને ક્યાં સુધી લીધો છે.

મૌલિકતાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. વિલિયમ શેક્સપિયરને એક મહાન નાટક લેખક માનવામાં આવે છે અને તેમણે પણ જૂના નાટકોમાંથી નકલ કરી હતી, પરંતુ તેમણે જે રીતે તેને રજૂ કર્યું તેમાં મૌલિકતા હતી.

Read Also Govinda Injured by Gunshot, Actor Hurt by His Own Gun, Condition Improving

Exit mobile version