Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the td-cloud-library domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/sembilannaga/justnownews.in/wp-includes/functions.php on line 6121
Monsoon 2024 : જિલ્લાના 5 ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર થયું જળમગ્ન - Justnownews Monsoon 2024, સુરેન્દ્રનગર
Tuesday, May 20, 2025

Creating liberating content in Just Now News

Abhishek Gupta – Jaipur...

ડિજિટલ યુગમાં, જ્યાં દરેક યુવાન પોતાના સપનાઓને સોશિયલ મીડિયા પર જીવંત કરવા માટે...

ખારગપુરનો King Riaz: ફ્રી...

નાના શહેરોમાંથી મોટું સપનુ જોવું હવે અશક્ય નથી. આ સાબિત કરી બતાવ્યું છે...

આંતરરાષ્ટ્રીય બજારમાં હલચાલ વચ્ચે...

વિદેશી રોકાણકારોના ભારતીય શેરબજારમાં પૈસા લગાડવાથી અને અમેરિકન ડોલરના ભાવમાં નરમાઈ આવતા ભારતીય...

ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 6...

અમેરીકાના ટેક્સાસમાંથી બ્લૂ ઓરિજિન કંપનીના રૉકેટ દ્વારા એક ખાસ યાત્રા થઇ. પહેલી વાર...
HomestateMonsoon 2024 :...

Monsoon 2024 : જિલ્લાના 5 ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગર થયું જળમગ્ન

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાંચ મહત્વના ડેમ, ભારે વરસાદ અને ઉપરવાસથી આવી રહેલા પાણીને કારણે ઓવરફ્લો થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાયકા ડેમ, ધોળી ધજા, ત્રિવેણી ઢાંગા, વાંસલ ડેમ અને મોરસલ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી પાણી આવતા ઓવરફ્લો થયેલા ડેમને કારણે નદીઓમાં પૂરના પાણી ઘૂઘવી રહ્યાં છે.

જિલ્લાના તંત્ર દ્વારા નદીપટમાં રહેતા અને નદીકાઠાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે પોતાના ઢોર ઢાખર લઈને સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે. સતત વરસાદી પાણીની આવકને પગલે, નાયકા ડેમના 17 દરવાજા પાંચ ફૂટ ખોલીને, નદીમાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તો સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો નદી બેકાંઠે વહી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે સ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રભારી સચિવ રાકેશ શંકર તાબડતોબ સુરેન્દ્રનગર પહોચ્યા હતા. ઉપરવાસના વરસાદી પાણીની આવક અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે, સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતા 5 ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. ભોગાવો નદી, ભયજનક સપાટી કરતા પાંચ ફૂટ ઉપર વહી રહી છે. 100 જેટલા પરિવારોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. નાયકા ડેમના કુલ 17 દરવાજા પાંચ ફુટ ખોલીને નદીમાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

Get notified whenever we post something new!

Continue reading

આંતરરાષ્ટ્રીય બજારમાં હલચાલ વચ્ચે ભારતીય રૂપિયા મજબૂત, ચોથા દિવસે પણ વધારોઃ

વિદેશી રોકાણકારોના ભારતીય શેરબજારમાં પૈસા લગાડવાથી અને અમેરિકન ડોલરના ભાવમાં નરમાઈ આવતા ભારતીય રૂપિયા ચોથા દિવસ પણ મજબૂત રહ્યો છે. ગુરુવારના રોજ રૂપિયો 10 પૈસાનો લાભ મેળવીને 85.54 રૂપિયાને ડોલર સામે પહોંચ્યો. ભલે શેરબજારમાં ભારે તેજી નહોતી અને ક્રૂડ ઓઈલના...

ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 6 મહિલાઓએ કરી અંતરિક્ષ યાત્રા, જેફ બેઝોસની મંગેતર પણ રહી સાથે

અમેરીકાના ટેક્સાસમાંથી બ્લૂ ઓરિજિન કંપનીના રૉકેટ દ્વારા એક ખાસ યાત્રા થઇ. પહેલી વાર એવું બન્યું છે કે એકસાથે છ મહિલાઓ અંતરિક્ષની સફર પર ગઈ. રૉકેટ થોડી જ મિનિટો માટે અંતરિક્ષની સીમાએ ગયો અને બાદમાં તમામ મહિલાઓ સુરક્ષિત زمین પર...

અયોધ્યામાં ભક્તો વચ્ચે મંદિરની મીટી વહેંચાય છે એવી વાત અફવા, સમિતિએ આપ્યો સ્પષ્ટ જવાબ

અયોધ્યાના રામ મંદિરને લઈને હાલમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે મંદિર પરિસરની મીટી ભક્તો વચ્ચે વહેંચવામાં આવશે.આ અંગે હવે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, અહિંની પવિત્ર મીટી મંદિર પરિસરમાં જ ઉપયોગમાં...