સમરીઃ
સીતારામ યેચુરીની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. ન્યુમોનિયાના કારણે છાતી અને ફેફસામાં ચેપ લાગવાને કારણે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સ્ટોરીઃ
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીની તબિયત ફરીથી લથડી છે. તેઓ એઈમ્સના આઈસીયુમાં સારવાર કરાવી રહ્યા છે. પાર્ટીની સેન્ટ્રલ કમિટી ઓફિસમાંથી મુરલીધરને આપેલા નિવેદન અનુસાર તેમને ફેફસાના ઈન્ફેક્શનને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
સીતારામ યેચુરીની હાલત ન્યુમોનિયાના કારણે ઈન્ફેક્શન વધવાને કારણે ગંભીર બની ગઈ છે. 19 ઓગસ્ટના રોજ ન્યુમોનિયાના કારણે યેચુરીની તબિયત બગડતાં તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વિભાગના રેડ ઝોનમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા.
સીતારામ યેચુરી CPIM પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ છે. તેઓ લાંબા સમયથી પાર્ટીના મહાસચિવનું પદ સંભાળી રહ્યા છે. સીતારામ યેચુરી 19 એપ્રિલ 2015ના રોજ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા, ત્યારથી તેઓ આ પદ પર કામ કરી રહ્યા છે. તેમને વર્ષ 2016માં રાજ્યસભાનો શ્રેષ્ઠ સંસદસભ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. જેએનયુને ડાબેરીવાદનો ગઢ બનાવવામાં સીતારામ યેચુરીનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે.

