Justnownews

રક્ષાબંધન નિમિત્તે પોસ્ટ ઓફિસ રાત્રે 8 કલાક સુધી રહેશે કાર્યરત, જનહિતમાં આવકારદાયક નિર્ણય

સમરીઃ
રક્ષાબંધન પર્વે રાખડીઓ મોકલવા માટે પોસ્ટવિભાગે જનહિતમાં આવકારદાયક નિર્ણય લીધો છે. જેમાં 17મી ઓગસ્ટ સુધી પોસ્ટ ઓફિસ કાર્યરત રહેશે.

સ્ટોરીઃ

ભાઈ બહેનોના પવિત્ર પર્વે બહેનો ભાઈને રાખડી બાંધતી હોય છે. જે બહેનો ભાઈને રુબરુ મળીને રાખડી બાંધી શકતી નથી તેઓ પોસ્ટમાં રાખડી મોકલતી હોય છે. આજે પણ પોસ્ટમાં રાખડી મોકલતી બહેનોની સંખ્યા વિશેષ છે.

પોસ્ટમાં રાખડીઓ મોકલતી બહેનો માટે પોસ્ટ વિભાગે આવકારદાયક નિર્ણય લીધો છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે 17મી ઓગસ્ટ સુધી પોસ્ટ ઓફિસ રાત્રે 8 કલાક સુધી કાર્યરત રહેશે.

વરસાદમાં રાખડી પલળે નહી તે માટે વિશેષ વોટરપ્રૂફ કવરનું પણ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. પોસ્ટ ઓફિસમાં રાખડી ઉપરાંત નાની મોટી ગિફ્ટ મોકલવાની પણ શરુઆત થઈ ચૂકી છે.

Exit mobile version