Saturday, November 8, 2025

Creating liberating content in Just Now News

શરદ અગ્રવાલ પડકારો વચ્ચે...

દુનિયાની અગ્રણી કાર નિર્માતા કંપની ટેસ્લા ભારતમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માંગે છે....

દિલ્લી સરકારના ભૂતપૂર્વ મંત્રી...

દિલ્લી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. **પ્રવર્તન નિર્દેશાલય (ED)**એ...

બિહાર ચૂંટણી : 12...

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) ના પ્રમુખ અને કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે જાહેરાત...

પતંજલિનું ઓર્ગેનિક મિશન –...

પતંજલિ આયુર્વેદનું કહેવું છે કે તેમનાં ઓર્ગેનિક અભિયાનનો હેતુ એક તરફ પર્યાવરણનું રક્ષણ...
Homestateગોંડલના બે નવા...

ગોંડલના બે નવા ફોરલેન બ્રિજ માટે સરકારે અંદાજિત ૫૭ કરોડ રૂપિયા મંજૂર કર્યા

સમરીઃ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલ શહેરમાં ૨ નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયા ફાળવવાની સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. ગોંડલ તથા આસપાસના ગામો-જિલ્લા-તાલુકાના બાયપાસ અને શહેરના ટ્રાફિકને ધ્યાનમાં લઈને આ મંજૂરી અપાઈ છે.

image 77

સ્ટોરીઃ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઓવર બ્રિજ અંતર્ગત ગોંડલ શહેરમાં પાંજરાપોળ પાસે રૂ. ૨૮.૦૨ કરોડના ખર્ચે તથા ગવર્નમેન્ટ હોસ્પિટલ ચોક પાસે રૂ. ૨૮.૮૨ કરોડના ખર્ચે આ ફોરલેન બ્રિજ નિર્માણ પામશે.

ગોંડલ શહેરમાં ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ સમયના બે બ્રિજ ઉપર ગોંડલ આસપાસના ગામો અને તાલુકાના વાહનોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હતો. એટલું જ નહિ,ભારે વરસાદના સમયમાં વિયર કમ કોઝવે પરથી પાણી પસાર થતું હોવાથી આ રસ્તો પણ બંધ થઈ જાય છે અને તમામ વાહનોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં આવેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ગોંડલ નગરમાં બે નવા બ્રિજ બનાવવા માટે રૂ. ૫૬.૮૪ કરોડની રકમ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. આ નવા બ્રિજ નિર્માણ થવાથી ભાવનગર-આટકોટથી જૂનાગઢ જતા વાહનોને તેમજ ઘોઘાવદર મોવીયાથી જૂનાગઢ અને કોટડાથી જેતપુર-જૂનાગઢ જતા વાહનોને ફોરલેન બ્રિજની સુવિધા મળતી થશે.

મુખ્યમંત્રીએ આ બે નવા બ્રિજ ઉપરાંત ગોંડલી નદી પરના રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ સમયના ૨ હયાત બ્રિજના રિસ્ટોરેશન માટે પણ ૨૨.૩૮ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે.

Get notified whenever we post something new!

Continue reading

શરદ અગ્રવાલ પડકારો વચ્ચે તકો શોધી રહ્યા છે: શું ટેસ્લાને ભારતમાં નવી દિશા મળશે?

દુનિયાની અગ્રણી કાર નિર્માતા કંપની ટેસ્લા ભારતમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માંગે છે. આ માટે, ટેસ્લાએ તાજેતરમાં શરદ અગ્રવાલને ટેસ્લાના ઇન્ડિયા હેડ તરીકે નિયુક્ત કર્યા છે. શરદ અગ્રવાલે આ પહેલાં લેમ્બોર્ગિની ઇન્ડિયાના કન્ટ્રી હેડ તરીકે કામ કર્યું છે. સાથે જ,...

દિલ્લી સરકારના ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે EDની કાર્યવાહી, ₹7.44 કરોડની મિલકત અટેચ

દિલ્લી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધી રહી છે. **પ્રવર્તન નિર્દેશાલય (ED)**એ તેમની કંપનીઓ સાથે જોડાયેલી ₹7.44 કરોડની મિલકત અટેચ કરી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદા (PMLA) હેઠળ કરવામાં આવી છે. CBIની FIR પરથી તપાસ શરૂ CBIએ ફરિયાદ નોંધાવી...

બિહાર ચૂંટણી : 12 સપ્ટેમ્બરે પટણામાં સुभાસપાનું અધિવેશન, રાજભરે 29 બેઠકો પર કર્યો દાવો

સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) ના પ્રમુખ અને કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે જાહેરાત કરી છે કે તેમની પાર્ટીનું મોટું અધિવેશન 12 સપ્ટેમ્બરે પટણામાં યોજાશે. આ અધિવેશનમાં પાર્ટી પોતાની તાકાત અને સંગઠન બંને બતાવશે. 29 બેઠકોની યાદી સોંપાઈ રાજભરે જણાવ્યું કે બિહાર...